Wednesday, May 26, 2021

હાલની સરકારને ગાળો આપતા પહેલા થોડું વિચારીએ ~ ધ્રુદિપ ઠકકર


વર્ષો પહેલા મેહુલભાઈ વ્યાસના નાટકમાં અમે કામ કરતા હતા નાટકનું નામ હતું "સમજો તો ઘણું બાકી જય શ્રી રામ." આ નાટકમાં એક બહુ જ સરસ સંવાદ હતો. સત્તા પર આવતાની સાથે દસ માથા આપોઆપ નિકળી આવે છે. વિપક્ષના મોદી આપણને ગમે છે પરંતુ સત્તા પર આવતા તે મોદી સામે આપણી આટલી ફરિયાદ કેમ છે તે સમજવા માટે એક નાનકડો કિસ્સો તમારી સામે રાખું છું.
style="margin-left: 1em; margin-right: 1em;">

આપના અડ્ડા નામના ગ્રુપથી આપ વાકેફ હશો. રેશનલ બનો વિકસતા રહો ટેગલાઇન સબકા સાથ સબકા વિકાસ જેવી કેટલી સુંદર લાગે છે. ધીરે-ધીરે ગ્રુપ નો વિકાસ થયો આજે આં ગ્રુપના 58 હજાર જેટલા સભ્યો છે. મારી અનેક પોસ્ટને કારણ વગર રીમુવ કરવામાં આવતી હતી આજે રજૂઆત કરી સાંભળવાની સમજવાની જગ્યાએ માત્ર દલીલો કરવામાં આવી અને ત્યારબાદ સંખ્યાબળના ના નશા માં આવી મ્યુટ કરવામાં આવ્યો. માટે બહુમતી ના નશા માં આવીને સરકાર કોઈ ને જેલમાં પૂરી દે કે રાજદ્રોહનો આરોપ લગાવે તે હવે મને સ્વાભાવિક લાગે છે. 

મને આ ગ્રુપ ના વિચારો ગમ્યા હતા માટે ૧૦૦ થી વધુ મિત્રો ને આ ગ્રુપમાં એડ કર્યા હતા બિલકુલ એ જ રીતે જે રીતે પાર્ટી સમર્થકો કોઈ પાર્ટીને વોટ કરવા માટે આગ્રહ કરતા હોય છે. 

મિત્રો વિચારી જુઓ કે એક ફેસબુક ગ્રુપ માં એ પણ રેશનલ વિચારો ધરાવતા ગ્રુપમાં 58000 ની સભ્ય સંખ્યા માં આવું તુંમાખી ભર્યું વર્તન કરતા હોય તો હાલની સરકાર પાસે તો કરોડોનું સંખ્યાબળ છે, અનેક સત્તાઓ છે, બહુમતી છે માટે " તુ જાનતા હે મેં કોન હું? " જેવો અહંકાર સરકારમાં આવે તે સ્વાભાવિક છે. એક પુરૂષ તરીકે તમે કોઈ સ્ત્રી કે બાળકો પર સત્તા ધરાવતા હોય તો તમારું વર્તન કેવું હોય છે ?, એક સ્ત્રી તરીકે તમે ઘરે કામ કરવા આવતી બહેન પર સત્તા ધરાવો છો તો તમારું વર્તન કેવું છે ? ઓફિસમાં બોસ છો અને નીચેના કર્મચારી અને પટાવાળાની તરફે તમારું વર્તન કેવું છે ?  તમારા કોઈ સંબંધી મોટા અધિકારી હોય કે રાજકારણમાં હોય તો તમારા વર્તનમાં કેવો બદલાવ આવે છે એ જાત તપાસ કરી જુઓ. મિત્રો એક નાનકડી સત્તા જે કદાચ અભ્યાસને લીધે, પદને લીધે કે સંખ્યાબળને લીધે મળે છે તો પણ તમારા અહંકારને તમે રોકી શકતા નથી (આમાંથી હું પણ બાકાત નથી જ ફિલ્મના શૂટિંગ દરમિયાન દૂધ અને ફ્રુટ સમયસર ન મળે તો અભિનેતા તરીકે મારો અહંકાર ઘવાતો હતો)તો સરકારને તો આપણે અઢળક સત્તાઓ આપી છે તો તેમનો અહંકાર પણ એટલો જ વધારે રહેવાનો તે હવે સમજવું રહ્યું. 

આ અહંકારનો સ્વીકાર કરવો તે બહુ જ અઘરી વસ્તુ છે. કદાચ આ લેખ વાંચ્યા પછી મને ગ્રુપમાંથી કાઢી નાખવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે સત્તાને સવાલ કરતા સોક્રેટિસ ક્યારેક કોઇને ગમતા નથી. 

માટે જો પરિસ્થિતિ બદલવી હોય તો સૌ પ્રથમ તો આવકની અસમાનતા દૂર કરવી પડશે. અને રાજનીતિ બદલાવી હોય તો એવી વ્યવસ્થા નિર્માણ કરવી પડશે કે જ્યા રાજનેતાઓ પાસે સત્તા ઓછી અને જવાબદારીઓ વધારે હોય.  

આપને પણ આવો કોઈ અનુભવ થયો હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો.

No comments:

Post a Comment